Thursday, 18 August 2011

વૈજ્ઞાનિકોએ શોધ્યો મેદસ્વીતા હટાવવાનો રસ્તો..!

 
હવે બસ એક ઈન્જેક્શનથી દુર કરો તમારી વધારાની ચરબી. જી હાં ભારતીય મૂળના એક સંશોધન કર્તા સુશીલ રાણેના નેતૃત્વ હેઠળ એક નવી જ રસીની શોધ કરવામાં આવી છે.

આ રિસર્ચ પ્રમાણે આ નવી રસીની મદદથી આપણે વધારાની ચરબી ઘટાડી શકીશું. હાલમાં જે દવાઓ બજારમાં ઉપલબ્ધ છે તેનાથી વજન ઘટાડવું એટલું સહેલું નથી.

શોધકર્તાઓએ હાલમાં ઉંદર પર આ રસાયણનું પરિક્ષણ કર્યું છે અને તેઓ સફળ પણ રહ્યાં છે. ઉંદરની વધારાની ચરબી સફેદ માંથી ભૂરા રંગની થઈ ગઈ હતી અને બાદમાં આ ચરબીનો નાશ થયો હતો . તેમજ તેમનું બ્લ્ડપ્રેશર અને સુગર લેવલ પણ નોર્મલ હતું.

No comments:

Post a Comment