Tuesday, 30 August 2011

દરરોજ ચોકલેટ ખાવાથી હૃદય રોગનું જોખમ ઘટે




ચોકલેટના ચાહકો માટે હવે સારા સમાચાર આવી રહ્યા છે. તાજેતરમાં હાથ ધરાયેલા સંશોધનનું તારણ એવું દર્શાવે છે કે, જે લોકો દરરોજ વધુ પ્રમાણમાં ચોકલેટ ખાય છે તેમને કાર્ડિયોવસ્ક્યુલર રોગો થવાની શક્યતા ૩૭ ટકા ઘટે છે. જ્યારે હૃદય રોગનો હુમલો થવાની શક્યતામાં ૨૯ ટકાનો ઘટાડો થાય છે.
આમ તો વૈજ્ઞાનિકો ઘણા સમયથી એવું જણાવતા આવ્યા છે કે, વધારે પડતું કોકો ધરાવતી ચોકલેટ ખાવાથી હાર્ટના રોગો સામે રક્ષણ મળે છે. કારણ કે તેમાં એન્ટિ ઓક્સિડન્ટ વધુ માત્રામાં હોય છે અને એન્ટિ ઈન્ફ્લેટરી ઘટકો પણ મોટાપાયે હોય છે જે હૃદયના રોગોથી બચાવે છે. તાજેતરમાં અગાઉના સાત અભ્યાસની સમીક્ષા કરવામાં આવી હતી.
  • વધુ ચોકલેટ ખાવાથી કાર્ડિયાક પ્રોબ્લેમમાં ૩૭ ટકાનો ઘટાડો
સંશોધકો દ્વારા હૃદયના રોગોના દર્દી અને હૃદય રોગનું દર્દ ન હોય તેવા ૧,૦૦,૦૦૦ લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.વધુ ચોકલેટ ખાતા અને ઓછી ચોકલેટ ખાતા લોકોનાં ગ્રૂપ પાડીને તેનો અભ્યાસ કરાયો હતો. સાતમાંથી પાંચ અભ્યાસમાં એવું જણાયું હતું કે જે લોકો દરરોજ વધારે ચોકલેટ ખાય છે તેમને હૃદયના રોગો સામે ૩૭ ટકા રક્ષણ મળે છે. જ્યારે હાર્ટ એટેક સામે ૨૯ ટકા રક્ષણ મળે છે. જો કે ચોકલેટ ખાવાનું પ્રમાણ ઘટાડવામાં આવે તો શું અસરો થાય તેનો અભ્યાસ કરવાનું બાકી હોવાનું કેમ્બ્રિજ યુનિર્વિસટીના ડૉ. ઓસ્કાર ફ્રાન્કોએ જણાવ્યું હતું.

No comments:

Post a Comment