Thursday, 29 September 2011

દાડમના દાણા જેવાં દાંત મેળવવાં બસ આટલું કરો


દાડમના દાણા જેવા ચમકતા સફેદ દાંત તો સૌનુ આકર્ષણ હોય છે. પણ એક ઉંમર પછી કોઈના પણ દાંત આપોઆપ પીળા પડવા લાગતા હોય છે.

નીચે અમુક ઘરગથ્થુ ઉપચાર આપેલા છે જેનાથી તમે તમારા દાંત પરના ડાઘ દૂર કરી શકો છો અને સાથે સાથે તે સિવાયની દાંતને સંબંધિત તકલીફો પણ દૂર કરી શકો છો.

• સંતરાની છાલની અંદરની બાજુને દાંત પર ઘસો. આમ કરવાથી તમારા દાંત સફેદ થશે અને શાઈન પણ આવશે.

• જમ્યા પછી સફરજન ખાવાથી દાંત પરના પીળા ડાઘ દૂર કરવાનો સૌથી સરળ રસ્તો છે. લીલા ધાણા અને ગાજર પણ સ્ટબર્ન ડાઘ દૂર કરવા માટે અસરકારક છે.

• એક કપ પાણીમાં 1/2 ટીસ્પૂન સંચળ ભેળવેલા પાણીથી કોગળા કરવાથી દાંતની બધી તકલીફો દૂર રહે છે.

• તમારા દાંત પર એપલ સઈડર વિનેગરથી દરરોજ રાત્રે બ્રશ કરો.

• સોડા અને 1/2 ટીસ્પૂન બાય-કાર્બોનેટની બનાવેલી પેસ્ટથી તમારા દાંતને ઘસો.

• અખરોટના ઝાડની છાલ દાંત પર ઘસવાથી દાંત પરના ડાઘ દૂર થઈ જશે.

• તમારી ટૂથપેસ્ટ અને બેકિંગ સોડાને મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. તેને એલ્યુમિનિયમ ફોઈલ પર પાથરો. તમારા દાંતને આ ફોઈલ વડે ઢાંકી દો અને એક કલાક સુધી રહેવા દો. ત્યાર બાદ બ્રશ કરો. અઠવાડિયામાં બે વાર આ રીતે કરો.

• કોફી કે બ્લૂ બેરીનુ જ્યૂસ પીધા પછી અથવા કંઈ પણ ખાધા પછી પાણી જરૂરથી પીઓ, ખાસ કરીને એવુ કંઈ પણ ખાધા પછી જેના કારણે તમારા દાંત પર ડાઘ પડી શકે છે. પાણીથી તમારા દાંત પર ખોરાકના કણો જામશે નહી અને દાંત પર ડાઘ નહીં પડે.

આપની યાદશક્તિ વધારવા અસરદાર છે આ 'અનાજ'

સામાન્ય રીતે લોકો ઘઉંને શક્તિવર્ધક પદાર્થ એટલે કે કાર્બોહાઈડ્રેડથી ભરપૂર માને છે. ઘણાં ઓછા લોકો જાણે છે કે ઘઉં ઔષધિ તરીકે પણ ઘણા ગુણકારી છે.

ઉધરસ- 20 ગ્રામ ઘઉંના દાણામાં મીઠું ભેળવી 250 ગ્રામ પાણીમાં ઉકાળો જ્યા સુધી પાણીનું પ્રમાણ 1/3 ન રહે. બાદમાં આ ગરમ ગરમ પાણી પી લો. સતત એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી આપની વર્ષો જુની ઉધરસ દુર થાય છે.

એસીડીટી- 80 ગ્રામ ઘઉંને રાત્રે પાણીમાં પલાળી દો સવારે તેને સારી રીતે પીસી લો. તેમાં થોડી ખાંડ મેળવી લો. ઘઉંના આ રસને પાણીમાં મેળવીને પીવાથી એસીડીટીની સમસ્યા દુર થાય છે એટલું જ નહીં કિડનીના રોગમાં પણ રાહત મળે છે.

હાડકા મજબુત બનાવે છે-એક મુઠ્ઠી ઘઉંને તવા પર શેકી લો. અને બાદમાં તેનો ક્રશ કરી લો. આ અઘકચરા લોટની અંદર મધ મેળવીને ચાટવાથી હાડકા મજબુત બને છે.

યાદશક્તિ વધારે છે ઘઉં- ઘઉંના લોટમાંથી બનતી રાબમાં બદામ મેળવીને પીવાથી યાદશક્તિ વધે છે.

ખાંડને ખરેખર સફેદ ઝેર માનવી જોઈએ કે નહીં?


 
જો કસરત ન કરતાં હો અને ખાંડવાળા પીણાં પીતાં હો,તો અઠવાડિયામાં અડધો કિલો વજન વધી શકે છે.

વધુ પડતી ખાંડ દાંત માટે ખૂબ જ નુકસાનકારક છે. દાંતમાં થતી કેવિટી માટે ખાંડ જવાબદાર છે. આ ઉપરાંત બિસ્કિટ, ચોકલેટ, કેક વગેરે જેમાં ખાંડ અને સ્ટાર્ચ બંને હોય, તે દાંત માટે બહુ જ નુકસાનકારક છે. કેવિટીને દૂર રાખવો જરૂરી છે કે આપણે ખોરાકમાં કાર્બોદિત પદાર્થો લઇએ.

ગમે તે હોય તો પણ ખાંડ વજન વધારવા માટે કારણભૂત તો ચોક્કસ છે જ. આમ તો તેલ અથવા ઘીમાં ખાંડ કરતાં વધુ કેલેરી આવેલી છે, પરંતુ રિફાઇન્ડ ખાંડ ખાવાથી શરીરમાં તેનો સ્ટોરેજ ઝડપથી થઇ જાય છે અને એ તો હકીકત છે કે ખાંડવાળી વાનગીઓમાં કેલેરી પુષ્કળ આવેલી છે.

નાનાથી માંડી અને વૃદ્ધો સુધી દરેકનું ગળપણ પ્રત્યેનું ખેંચાણ અનોખું જ રહ્યું છે. આપણે ત્યાં સરેરાશ કેટલી ખાંડનો વપરાશ થાય છે તે તો કદાચ કહેવું અઘરું છે, પરંતુ જે પ્રમાણે મીઠાઇની દુકાનો ખુલતી જાય છે અને ત્યાં જે ભીડ હોય છે તે જોઇને આપણે લોકોનો ગળપણ પ્રત્યેનો પ્રેમ જાણી શકીએ છીએ. તે ઉપરાંત ચોકલેટ અને કેકનું પણ ધૂમ વેચાણ થાય છે. આઇસક્રીમ માટે તો એમ કહેવાય છે કે કોઇ આઇસક્રીમ દુનિયામાં ત્યારે જ ચાલે જ્યારે તેને ગુજરાતીઓ પાસ કર્યો હોય. કોઇ પણ નવા આઇસક્રીમ સૌથી પહેલાં ગુજરાતમાં મૂકાય છે.

શું ખાંડ ખરેખર ખરાબ છે? ખાંડનો સૌથી મોટો ગુનો એ છે કે તેનાથી ડાયાબીટિસ થાય છે. શું ડાયાબીટિસ ફક્ત ખાંડથી જ થાય છે? જેઓ ખાંડ લેવાનું બંધ કરે તેમને શું ડાયાબીટિસમાં રાહત થાય છે? ખરેખર તો ગુજરાતીઓ દેશમાં સૌથી વધુ તેલનો વપરાશ કરે છે અને ઓછામાં ઓછો વપરાશ અનાજ પાછળ કરે છે.

ખાવાની ખોટી રીતભાત અને અનિયમિત જીવનશૈલીને કારણે આજે ગુજરાતીઓમાં ડાયાબીટિસનું પ્રમાણ વધતું જાય છે. કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય એવા ખોરાકથી તમારો ‘glycemin Index’ વધે છે. આવા ખોરાકમાં ખાંડ ઉપરાંત વ્હાઇટ બ્રેડ, પાસ્તા અને ચોખા આવી જાય છે. એવું માનવામાં આવે છે કે જો High glycemin food જેમ કે, મેંદો કે ખાંડ વધુ પ્રમાણમાં વાપરો તો ડાયાબીટિસ કે હાઇ બ્લડપ્રેશર થઇ શકે છે.

ગમે તે હોય તો પણ ખાંડ વજન વધારવા માટે કારણભૂત તો ચોક્કસ છે જ. આમ તો તેલ અથવા ઘીમાં ખાંડ કરતાં વધુ કેલેરી આવેલી છે, પરંતુ રિફાઇન્ડ ખાંડ ખાવાથી શરીરમાં તેનો સ્ટોરેજ ઝડપથી થઇ જાય છે અને એ તો હકીકત છે કે ખાંડવાળી વાનગીઓમાં કેલેરી પુષ્કળ આવેલી છે. જેમ કે, ઠંડા પીણાંની ૩ બોટલ જો પાણીના બદલે લેવામાં આવે તો તેમાં તમે શરીરમાં લગભગ ૪૫૦ કેલેરી એક્સ્ટ્રા નાખી દો છે.

જો એ રેગ્યુલર ખોરાક ખાય અને કસરત વ્યવસ્થિત ન કરતાં હોય તો આવા વ્યક્તિ રોજના ૩ બોટલ ઠંડા પીણાંની લે તો અઠવાડિયાનું અડધો કિલો વજન વધારે છે. આપણી વાનગીઓ બનાવવાની રીત જ એવી છે કે જ્યાં ખાંડ આવે ત્યાં તેલ, ઘી વધુ આવે જ. જેમ કે બિસ્કિટ, કેક, આઇસક્રીમ, ચોકલેટ વગેરે બધામાં જ ખાંડ અને ફેટનું પ્રમાણ વધારે આવે જ છે.

આ ઉપરાંત, No fat or No Sugar વાળી વસ્તુઓ દરેક વખત ખાવાલાયક નથી હોતી. જેમ કે, No Fat વાળી વસ્તુઓમાં સ્વાદ માટે વધુ ખાંડનો ઉપયોગ થાય છે, તે જ રીતે No Sugar વાળી મીઠાઇ કે ચોકલેટમાં Sugar Substitues આવે છે જે નુકસાનકારક હોય છે.

વધુ પડતી ખાંડ દાંત માટે ખૂબ જ નુકસાનકારક છે. દાંતમાં થતી કેવિટી માટે ખાંડ જવાબદાર છે. આ ઉપરાંત બિસ્કિટ, ચોકલેટ, કેક વગેરે જેમાં ખાંડ અને સ્ટાર્ચ બંને હોય, તે દાંત માટે બહુ જ નુકસાનકારક છે. કેવિટીને દૂર રાખવો જરૂરી છે કે આપણે ખોરાકમાં કાર્બોદિત પદાર્થો લઇએ. આનાથી મોંમાં ઉત્પન્ન થતાં રસ ખાંડ અને સ્ટાર્ચને દાંતમાં જમા થતાં રોકે છે. બાળકો જ્યારે વધુ ખાંડ લે છે ત્યારે તેઓ વધુ પડતાં એક્ટિવ થઇ જાય છે અને તોફાન કરે છે. વધુ પડતાં ખાંડવાળા પીણાં બાળકોને હાઇપર એક્ટિવ બનાવી શકે છે.

ઘણા લોકો માને છે કે કસરત કરતાં પહેલાં અથવા પછી જો ખાંડવાળા પીણાં પીવામાં આવે તો તે વધુ એનર્જી આપે છે. જે દરેક વખતે સાચું નથી કારણ કે શરીરને એનર્જી સ્નાયુ અને લીવરમાં સ્ટોર થયેલું ગ્લુકોઝ આપે છે. કસરતના પહેલાં કલાકમાં કાર્બોદિત પદાર્થો (ખાંડ નહીં.) જે કસરતના અમુક કલાક પહેલાં લેવામાં આવ્યા હોય તે એનર્જી આપે છે. ફક્ત મેરેથોન જેવી રમતમાં એ જ સમયે ખાંડ લેવામાં આવે તો મદદરૂપ થાય છે.

ટૂંકમાં, ખાંડથી શરીરને સ્વાદ સિવાય કોઇ ખાસ ફાયદો નથી. સમતોલ આહાર જેટલો જરૂરી છે એટલી જ સમતોલ માત્રામાં ખાંડ પણ જરૂરી છે. ખાંડ જો ફક્ત સ્વાદ પૂરતી અથવા દિવસની ૧-૨ ચમચી લેવામાં આવે તો સ્વાદ સંતોષે છે અને નુકસાનકારક નીવડતી નથી.

કડવા કારેલાના આ મીઠાં ગુણો જાણી લો, ફાયદામાં રહેશો


સ્વાદે કડવું અને જોતા જ લોકોનું મો ચઢી જતું તેવું શાક એટલે કારેલાં. પણ જ્યારે તેના ગુણની વાત આવે એટલે તેની આ કડવાશ ભૂલી જ જવી પડે.

સ્વાસ્થ્ય અને સોદર્ય બન્ને માટે લાભકારી કારેલાના આટલાં ગુણો જાણી લો.

તેના પોષક તત્વોને કારણે કારેલા ન ફક્ત શાક છે પણ તે ઔષધિ પણ છે.

-કારેલા ડાયાબિટીસ મટાડવા ઉત્તમ છે. તેને છાયડામાં સુકવી તેનો પાવડર બનાવી લો. આ પાવડર દરરરોજ એક ચમચી લેવાથી ડાયાબિટીસથી રાહત મળે છે. કારણ કે કારેલા પેંક્રિયાઝને ઉત્તેજિત કરી ઈન્સ્યુલિનની માત્રા વધારે છે. -તેમાં રહેલાં બિટર્સ અને એલ્કેલાઈડને કારણે તે રક્તશોધક પણ છે. તેના પ્રયોગથી ફોડકી, ડાઘ-ધબ્બા દુર થાય છે. ચામડીના રોગ મટે છે. -કારેલાના બિજમાં વિરેચક તેલ હોય છે. જેને કારણે તેને ખાવાથી કબજિયાતની બીમારીથી બચી શકાય છે. -તો આ સિવાય તેમાં વિટામિનની પણ હાજરી હોવાથી રતાંધણા પણાની બીમારીમાં પણ રાહત રહે છે -કારેલાના પાદડાંનો રસ પિવાથી સાંધાના દુખાવામાં પણ રાહત રહે છે -તે એસિડિટી, ખાટ્ટા ઓડકારથી પણ છુટકારો અપાવે છે.

પુરુષો માટે છુટાછેડાનો આઘાત હોય છે અસહ્ય


 
પુરુષો માનસિક રીતે વધારે મજબૂત અને મક્કમ હોય છે એવી માન્યતા સદીઓથી છે. પરંતુ તાજેતરમાં થયેલું એક સર્વેક્ષણ આ માન્યતાને સાવ બદલી નાખે છે. આ સર્વેમાં જાણવા મળ્યું છે કે છુટાછેડા પછી મહિલાઓ માનસિક રીતે સ્વસ્થ થઈ જાય છે પરંતુ પુરુષો એટલા ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થતા નથી. તેઓ માનસિક રીતે તૂટી જાય છે એટલું જ નહિ, પરંતુ ખાવા-પીવાનું પણ છોડી દેતા હોય છે.

તેઓ અત્યંત એકલતા અનુભવે છે. તેમણે આર્થિક મોરચાનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. પુરુષો બીજા લગ્ન કરે કે ન કરે, પરંતુ પહેલી પત્નીને વળતર અથવા તો દર મહિને પૈસા આપવા પડતા હોય છે. જો બીજા લગ્ન કરે તો બધું જ નવેસરથી શરૂ કરવું પડતું હોય છે. આ સર્વેમાં એવું તારણ પણ નીકળ્યું છે કે પત્નીથી અલગ થયાના એક વર્ષમાં ૪૮ ટકા પુરુષો સાવ એકલા પડી જતા હોય છે. તેની સામે માત્ર ૩૫ ટકા મહિલાઓ એકલતા અનુભવે છે.

લંડનના છુટાછેડાના અગ્રણી વકીલ એડમ વિટકોવરનું કહેવું છે કે પતિને છોડ્યા પછી કેટલીક મહિલાઓ રાહત અનુભવે છે. મહિલાઓને સારું મિત્રમંડળ હોય તેનો લાભ મળતો હોય છે કેમકે તેઓ મિત્રોમાં પોતાનું દુખ વ્યક્ત કરીને હળવી થઈ જાય છે, પરંતુ પુરુષો આવું કરી શકતા નથી.

ધૂમ્રપાનની આદત તમને ભૂલકણા બનાવશે


 
ધૂમ્રપાન શા માટે છોડી દેવું જોઈએ તેનું વધુ એક કારણ આ રહ્યું... ધૂમ્રપાન કરનાર લોકો તેમની ત્રીજા ભાગની રોજિંદી યાદશક્તિ ગુમાવી દેતા હોય છે. બ્રિટનમાં આ અંગે થયેલા અભ્યાસ દ્વારા એ પણ સ્પષ્ટ થયું છે કે જે લોકો ધૂમ્રપાન છોડી દે તેઓ તેમની યાદશક્તિ ફરીથી પાછી મેળવી શકે છે. રોજિંદી યાદશક્તિ એટલે વ્યક્તિની દૈનિક કામગીરી સાથે સંકળાયેલી બાબતો. જેમ કે, દિવસ દરમિયાન કરવા માટેનાં અગત્યનાં કામો, નામો યાદ રાખવા, ખરીદી માટેની ચીજો ન ભૂલવી વગેરે.

આ અભ્યાસ માટે સંશોધકોએ ૧૮થી ૨૫ વર્ષની વયજુથના ૭૦ લોકોને યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત કરાવવામાં આવી હતી. ત્યારપછી આ લોકોને તેમણે જોયેલી નાની નાની વિગતો યાદ કરવા જણાવવામાં આવ્યું હતું. આ પૈકી જે લોકો ધૂમ્રપાન કરવાની ટેવવાળા હતા તેમાંના માત્ર ૫૪ ટકા લોકોને જ અમુક વિગતો યાદ રહી હતી, જ્યારે કદી ધૂમ્રપાન નહિ કરનાર ૮૧ ટકા લોકો વિગતવાર જવાબો આપી શક્યા હતા.

સ્વસ્થ અને સુંદર રહેવું છે તો આ 7 ટિપ્સ અપનાવો

 
 
દરરોજના ખાવામાં જો આપ આનાકાની કરતા હોવ તો આપને ડૉક્ટરની દવાઓ ખાવી પડશે. આપ જો જાણશો કે કુદરતના આ ખજાનામાંથી જ આપની કેટલી બીમારીઓ દુર થાય છે તો આપને કેટલો ફાયદો થાય છે.

જાઓ આ રહ્યાં આપના રસોડામાં છુપાયેલા ખજાનાના રહસ્યો...

-જમ્યા બાદ કાચા લસણની બે કળીઓ ચાવીને ખાઈ લો આપનું બ્લ્ડ પ્રેશર કાબુમાં રહેશે.

- ધબકારાનું પ્રમાણ ઘટાડવા માટે ગાજરનો રસ પીઓ. ગાજરને સલાડના રૂપમાં પણ લઇ શકાય.

- હૃદયની બીમારીવાળી વ્યક્તિએ ટામેટાં ખાવાં. તેમાં વિટામિન ‘સી’ અને ‘એ’ તથા પોટેશિયમ પૂરતા પ્રમાણમાં મળે છે.

-મેથીના દાણાનું ચુરણ બનાવી દરરોજ ખાલી પેટ એક ચમચી લેવાથી બ્લ્ડપ્રેશરથી બચી શકાય છે અને જો બીમારી હોય તો તેને પર કાબુ રહે છે.

-દ્રાક્ષ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબીટિઝનું જોખમ ઓછું થઈ જાય છે.

-તરબૂચના બીયા અને ખસખસ મેળવી તેને પીસી લો અને દરરોજ સવાર-સાંજ એક એક ચમચી ખાલી પેટ લેવાથી બ્લ્ડ પ્રેશર કાબુમા રહેશે.

- કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવા દૂધીનો રસ કાઠી, ફુદીનાનાં ચાર પાન, તુલસીનાં બે પાન નાખી દિવસમાં બે વખત પીવાથી ફાયદો થાય છે.