Tuesday, 30 August 2011

સુંદરતાની સાચવણ

દરેક યુવતીની ઇચ્છા હોય છે કે તે સુંદર હોય, તેની ત્વચા કોમળ હોય અને તે સુંદર દેખાય. સુંદરતાના બળે જ કોઈનું દિલ જીતી શકાય છે. આ સૌંદર્યને કાયમ સાચવી રાખવા માટે અને નિખારવા માટે આપણે કંઈ કેટલાય નુસખા રોજ અપનાવીએ છીએ, પરંતુ શું તે બધા નુસખા સાચા હોય છે?
અહીં અમે તમને થોડાક એવા નુસખા બતાવીએ છીએ જે તમે ક્યાંક ને ક્યાંક વાંચ્યા અને સાંભળ્યા હશે, પરંતુ તે સાચા નથી.
પાણીમાં દૂધ ભેળવવાથી ત્વચા સુંવાળી થાય છે.
પાણીમાં દૂધ મિક્સ કરવાથી માત્ર પાણી ચીકણું થાય છે, જેનાથી નહાતી વખતે શરીર ઉપર પાણી રેડવાથી ત્વચા ચીકણી થઈ સુંવાળી લાગે છે, પરંતુ આ તો ચીકાશથી થયેલી કોમળતા છે, જે કોઈ પણ ક્રીમ અથવા તેલનો ઉપયોગ કરવાથી થઈ શકે છે અને સાબુથી ધોવાથી નીકળી જાય છે.
ત્વચા ભલે ગમે તેવી હોય પણ તેને સાબુથી સાફ તો જરૂર કરવી જોઈએ.
ત્વચાના પ્રકાર પ્રમાણેનાં ક્લીંઝર્સ પણ બજારમાં મળે છે, જેના ઉપયોગથી ત્વચાને સાફ કરવી જોઈએ.
ઉઠબેસ કરતી વખતે છેક નીચે સુધી બેસવું જોઈએ.
એવું કરવાથી ધૂંટણ અને જાંઘમાં પીડા થઈ શકે છે, જે પછી બીમારીનું સ્વરૂપ પકડે છે. આ કસરત ત્યારે ફાયદાકારક છે જ્યારે તમને પીડા ન હોય.
પંિપલ પર ટૂથપેસ્ટ લગાડવામાં આવે તો પંિપલ ઠીક થઈ જાય છે.
ટૂથપેસ્ટ માત્ર ઉપરનું કામ કરી શકે છે, તેની ત્વચાની અંદર કોઈ જ અસર થતી નથી.
એક્યુપ્રેશર કે ફેસલિફ્‌ટ કરાવવાથી લટકેલી ત્વચા ફરી કસાયેલી થઈ જાય છે અને ચહેરા ઉપર ચમક આવે છે.
એવું કરાવવાથી ચહેરાની માંસપેશીઓને આરામ મળે છે, જેનાથી તે તંદુરસ્ત થાય છે અને ચમકે છે, પરંતુ લટકી ગયેલી ત્વચામાં ફરી કસાવ આવતો નથી.
ઠંડા પાણીથી ચહેરો સાફ કરવાથી રોમછિદ્રો બંધ થઈ જાય છે, જેનાથી વાઇરસ અંદર પ્રવેશી શકતા નથી.
આ ધારણા પણ સાચી નથી, કારણ કે વાયરસ રોમછિદ્રોની અંદર પ્રવેશ કરતા નથી.
બ્યુટીગ્રેન્સના ઉપયોગથી રોમછિદ્રો મોટાં થઈ જાય છે.
બ્યુટીગ્રેન્સ ત્વચા માટે સારું હોય છે, પરંતુ તેનો વધારે ઉપયોગ ત્વચાને રુક્ષ બનાવે છે. રોમછિદ્રોની સાઇઝ પર એની કોઈ અસર થતી નથી.
શરીરમાં ફેટ જામી હોય તેવાં અંગોની કસરત કરતાં પહેલાં મસાજ કરી લેવાય તો આ ભાગોમાં અંદર રહેલા સેલ્સ કોમળ થઈ જાય છે, જે કસરત કરતી વખતે આપોઆપ નીકળી જાય છે.
શરીરની અંદર જો ફેટ સેલ્સ એકવાર પ્રવેશ કરી જાય તો પછી શરીર એનાથી મુક્ત થઈ શકતું નથી. કસરત કરવાથી માત્ર ફેટ સેલ્સની સાઇઝ ઓછી થઈ જાય છે.
ભોજનમાં પ્રોટીન અને સ્ટાર્ચ સાથે ના લેવા જોઈએ.
ભોજનમાં પ્રોટીન અને સ્ટાર્ચ અથવા તો માંસાહારી ભોજનની સાથે શાકભાજી ખાવાં, એ જુદાં-જુદાં ખાવાં કરતાં એકસાથે ખાવાં વધારે ફાયદાકારક હોય છે.
કસરત છોડવાથી જાડા થઈ જવાય છે.
કસરત છોડવાથી જાડા થઈ જવાને કોઈ સંબંધ નથી. કસરત કરતી વખતે તમે ફેટ ઓછી લો છો અને શરીરમાં હાજર ફેટ કસરતથી ઓછી થાય છે, જેનાથી પાતળા થઈ જવાય છે, પરંતુ કસરત છોડ્યા પછી જો ફેટની માત્રા એની એ જ રહેશે તો તમે ન જાડા થશો ન પાતળા. માત્ર વધારે ફેટ લેવાથી જ જાડા થવાય છે.
સફેદ અને ચમકતા દાંત માટે અઠવાડિયામાં એકવાર દાંતને બેકંિગ સોડાથી સાફ કરવા જોઈએ.
દાંતના ડોકટરનું માનવું છે કે બેકંિગ સોડાનો ઉપયોગ કરવાથી ચમક અથવા સફેદીમાં કોઈ ફેર પડતો નથી.
ભોજન કરતી વખતે વચ્ચે પાણી પીવું જોઈએ નહીં.
ભોજન કરતી વખતે વચ્ચે પાણી પીવું સારું હોય છે. પાણી પીવાથી કેલરી લીધા વગર પેટ જલદી ભરાઈ જાય છે.
નખને છેડેથી કાપવાથી અથવા ફાઈલ કરવાથી તે નબળા પડી જાય છે.
કોઈ પણ રીતે કાપવાથી અથવા ફાઈલ કરવાથી નખ નબળા નથી થઈ જતાં. છેડેથી કાપવાથી એવો આકાર બની જાય છે, જેનાથી તે નબળા દેખાય છે.
સવારનાં સૂર્યનાં કિરણોથી ચહેરાની કરચલીઓ સારી થઈ જાય છે.
સૂર્યનાં કિરણોથી માત્ર મન અને તનને શાંતિ અને તાજગી મળે છે. તેનાથી કરચલીઓ પર કોઈ અસર થતી નથી. હા, ટોનંિગ અથવા સનબર્ન જરૂર થઈ જાય છે.
વાળનો જથ્થો બનાવવા માટે તમારી આંગળીઓની વચ્ચે વાળને ભરાવીને નીચેની તરફ ઝાટકવા જોઈએ.
એવું કરવાથી તેમાં જથ્થો નથી થતો માત્ર લુક એવો આવે છે. તેનાં મૂળ પણ નબળાં પડે છે, જેનાથી વધારે વાળ તૂટે છે.
શેમ્પૂ કર્યા પછી દરેક વખતે કન્ડિશનરના ઉપયોગથી વાળને કન્ડિશનરની ટેવ પડી જાય છે.
જ્યારે આપણે એક પછી એક કંઈક ને કંઈક વાળ ઉપર લગાડીએ તો વાળ રુક્ષ અને ખરાબ થઈ જાય છે. આનાથી વાળમાં એક પડની ઉપર બીજું પડ બનતું જાય છે અને વાળની ત્વચામાં હવા જઈ શકતી નથી, જેનાથી વાળ ખરાબ થવા લાગે છે.
સ્વિમંિગ કરવાથી જો વાળ લીલા રંગના થઈ જાય તો ગરમ પાણીમાં છ એસ્પિરિનની ગોળીઓ નાખીને ઘુઓ અને ભીના વાળને કાંસકાથી ઓળી લો.
એસ્પિરિન માત્ર માથાના દુઃખાવા માટે સારી છે, વાળના રંગને ઠીક કરવા માટે નથી.
રોજ સવારે આંખોમાં આઈડ્રોપ નાખવાથી આંખોમાં બળતરા અને થાક લાગતો નથી.
આંખના ડોક્ટરોનું કહેવું છે, આ ડ્રોપ્સના ઉપયોગથી અવળી અસર થાય છે. લગભગ ૧૦ કલાક સુધી આ ડ્રોપ્સની અસર રહે છે. ત્યાર પછી આંખો ફરીથી સૂજી જાય છે અને ફરીથી તેમાં ડ્રોપ્સ નાખવાની જરૂર પડે છે.
આંખોની આજુબાજુની ત્વચા માટે વિટામિન-ઈ તેલ સારું ગણાય છે.
વિટામિન-ઈ તેલથી કોઈ ફાયદો થતો નથી. એનાથી ઘણી વખત એલર્જી થવાની શક્યતા રહે છે. ખાસ કરીને તેનો ઉપયોગ આંખો અથવા આસપાસની ત્વચા માટે ફાયદાકારક હોય છે. કારણ કે આંખની આજુબાજુની ત્વચા ખૂબ ડેલિકેટ હોય છે.

No comments:

Post a Comment