જાબું ન ફક્ત એક ફળ છે પણ તે ઘણી મોટી મોટી બીમારીઓનો રામબાણ ઈલાજ છે. તેનો મેડિસીન તરીકે પણ ઉપયોગ કરવામાંઆવે છે.
છત્તિસગઢની ધ એન્વાયર્નમેન્ટ સોસાયટી ઓફ ઈન્ડિયાના સેક્રેટરી જનરલ એનકે ઝિંગને આ વાત સ્વીકારી હતી. ગવર્નમેન્ટ સીનિયર સેકેન્ડરી સ્કૂલ સેક્ટર 21માં સોસાયટી દ્વારા આયોજીત 'જાબું ડે' પર તેમણે બાળકોને સંબોધી જાબુંના ફાયદા જણાવ્યાં હતાં.
જાબું ડાયાબિટીસ, શરદી તાવ, પાઈલ્સ, ડાયરિયા, લીવર ડિસઓર્ડર જેવી બીમારીઓ સામે રક્ષણ આપે છે. પણ જાબુંનું સેવન જરૂર કરતાં વધુ પ્રમાણમાં ન કરવું જોઈએ.
ઝિંગને જણાવ્યું હતું કે તેમની સોસાયટીમાં છેલ્લા ત્રીસ વર્ષોથી 'જામુન ડે' ઉજવવામાં આવે છે. આ ડે ઉજવવાનો ઉદ્દેશ બાળકોને સિઝનલ ફ્રુટ અને વેજીટેબલ ખાવા બાબતે પ્રેરિત કરવાનો છે. કારણકે આજકાલ બાળકોમાં શાકભાજી-ફળફળાદી ખાવાની જગ્યાએ જંકફુડ ખાવાનું પ્રમાણ વધ્યું છે.
No comments:
Post a Comment