Tuesday, 16 August 2011

લસણ : હાઈ બ્લડ પ્રેશરનો અક્સીર ઈલાજ




હાઈ બ્લડ પ્રેશરને અંકુશમાં રાખવા માટે ભોજનમાં નિયમિત લસણનું સેવન કરવું જોઈએ. જો નિયમિત રીતે ખોરાકમાં લસણનો વપરાશ વધારવામાં આવે તો તેનાથી હાઈપર ટેન્શનને કાબૂમાં રાખી શકાય છે. ઓસ્ટ્રેલિયાના ડોક્ટરો દ્વારા આ અંગે કેટલાક દર્દીઓ પર સંશોધન હાથ ધરાયું હતું. જેમાં રોજિંદી દવાઓ ઉપરાંત લસણ અને લસણની કેપસ્યુલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દર્દીઓનું બ્લડ પ્રેશર લસણના ઉપયોગ પછી ઘટયું હોવાનું જણાયું હતું. લસણને કારણે લોહી પાતળું થવાથી બીપીને કન્ટ્રોલમાં રાખવાનું આસાન બનતું હોવાનું જણાયું હતું.
  • લસણ ખાવાથી લોહી પાતળું રાખી શકાય છે
ખોરાકમાં લસણના વપરાશથી કેટલાક દર્દીઓમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટેલું જોવા મળ્યું હતું. જ્યારે કેટલાકનું હાઈ બ્લડ પ્રેશર ઘટયું હતું. ઓસ્ટ્રેલિયાની યુનિર્વિસટી ઓફ એડીલેઈડ દ્વારા દર્દીઓને ૧૨ અઠવાડિયા સુધી દરરોજ સુકા લસણમાંથી બનાવેલી ૪ કેપસ્યુલ્સ આપવામાં આવતી હતી. આને કારણે પ્લેસેબોની સાથે લસણના વપરાશથી સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાં ૧૦ એમએમએચજીનો ઘટાડો થયો હતો.
સંશોધક કેરિન રીડના જણાવ્યા મુજબ હાયપર ટેન્શનની સારવાર નહીં કરનારાઓની સરખામણીમાં લસણ ખાનારાઓનું બ્લેડ પ્રેશર અંકુશમાં રાખી શકાયું હતું. જેમાં લસણનો કેટલો વપરાશ કરવો, શરીરમાં તેની પાચક ક્ષમતા કેટલી છે અને કેટલા સમય સુધી તેનું સેવન કરવું જોઈએ તેનો અભ્યાસ કરાયો હતો.

No comments:

Post a Comment