સમયની માંગ છે કે ધર્મને મંદિરો, ગુરુકુળો, પુસ્તકાલયો, સાધુ-સંતોની મંડળીઓ, ભજન-કિર્તન પ્રવચન અને પ્રાચીન ધર્મગ્રંથો સુધીના સર્કલમાંથી બહાર કાઢી આજે માનવ અને તેના મનની લાયક બનાવવામાં આવે. એ જૂની ભાષામાં, આમ તો પહેલાના પ્રતીકો તથા ઉદાહરણોની મદદ લઈ આજના યાંત્રિક યુગમાં જન્મેલ આધુનિક મનુષ્યને ધર્મ-આધ્યાત્મની વાસ્તવિક મહાનતાઓ, ખૂબીઓ અને લાભોથી પરિચિત નથી કરાવી શકાતો. તેથી જ આજના આધુનિક યુગમાં યુવાનો માટે દરેક વસ્તુથી અવગત હોવું જરૂરી છે. આપણા પ્રાચીન વારસામાં જીવન જીવવાની કળાઓને અઢળક ખજાનો છે જેને આજના યુગને અનુકૂળ બનાવી રજૂ કરવામાં આવે તે જરૂર છે તથા યુવાનો તેને પોતાના જીવનમાં ઊતારે તે પણ એટલુ જ જરૂરી છે.
No comments:
Post a Comment