Sunday, 7 August 2011

શું અને કેમ કરશો જેથી આવનાર બાળક અને માતા બન્ને રહે સ્વસ્થ?


માતા અને તેના ગર્ભમાં રહેલા શિશુ બન્નેની સુરક્ષા અને આરોગ્ય જળવાઇ રહે, આ માટે ગર્ભવતી સ્ત્રીના ખાન –પાનનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. દરેક ગર્ભવતી મહિલાઓએ અનિવાર્ય રૂપે દરરોજ દુધમાં કેસર ઘોળીને પીવું જોઇએ.
એવી માન્યતા છે કે કેસરવાળું દુધ પીવાથી શિશુનો રંગ ગોરો થાય છે, પરંતુ તેના ઘણા આયુર્વેદિક ગુણોને કારણે આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી રહી છે.

કેસર એ એક એવી ઔષધિ છે જેનું અંગ્રેજી નામ સેફરન છે તે ગરમી આપનારી હોય છે.

આયુર્વેદના અનુસાર આના નિયમિત સેવનથી પિત્ત,કફ, પેટ સંબંધી અનેક મુશ્કેલીઓ જેવી કે અપચો, પેટમાં દર્દ,વાયુ વિકાર વગેરે થતા નથી.

ગર્ભવતી સ્ત્રી અને તેના બાળકને આ બીમારીઓના પ્રભાવથી બચાવા માટે કેસરનું સેવન કરાવવામાં આવે છે આ સાથે કેસર સામાન્ય મહિલાઓ માટે પણ બહુ જરૂરી છે. આમાં સ્ત્રીઓમાં અનિયમિત સ્ત્રાવ અને તે સમય દરમિયાન થતા દુખાવામાં પણ રાહત આપે છે. જો કોઇ સ્ત્રીના ગર્ભાશયમાં સોજો હોય તો તે માટે કેસરનું સેવન ફાયદાકારક છે.

No comments:

Post a Comment