Tuesday, 16 August 2011

ઘરેથી નીકળતાં ગોળ જરૂર ખાવો જોઇએ, કારણ કે..


Share  |  
 
સુખી અને સર્વરીતે સંપન્ન જીવન માટે જરૂરી છે કે આપણે સફળ હોઇએ, સફળ થવા માટે આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારો ખુબ જ જરૂરી છે.સફળ થવા સંદર્ભે આપણા સમાજમાં એક માન્યતા છે કે કોઇપણ કાર્ય કરતાં પહેલાં ગોળ ખાઇને નીકળવું બહુ શુભ ગણાય છે. તેને એક સારું શુકન માનવામાં આવે છે. ગોળ ખાવાથી આપણું મન શાંત થાય છે. આપણને સકારાત્મક વિચારો આવે છે અને વાણીમાં મિઠાશ આવે છે. આવી મિઠાશ જિંદગીની પળોને યાદગાર અને સુમધુર બનાવે છે.

જો આપણું મન કોઇ કારણ દુ:ખી વાતોમાં પરોવાઇ જાય અને આપણે ગોળ ખાઇએ તો તરત જ મન પ્રસન્ન થઇ જાય છે. ગોળ ખાધા બાદ આપણે દરેક કાર્યને સારી રીતે કરી શકીએ છીએ. વાસ્તવમાં જ્યોતિષ અનુસાર જન્મકુંડળીમાં સૂર્ય ગ્રહ વધારે મજબુત સ્થિતિમાં ના હોય કે અશુભ પ્રભાવ આપતો હોય તો નકારાત્મક વિચારો ઓછા આવે છે.આ માટે તો કહેવામાં આવે છે કે ઘરેથી નીકળતાં સમયે ગોળ ખાવાથી મનમાં આવતા નકારાત્મક વિચારો દુર થાય છે અને આપણી અંદર સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે તે સાથે વૈજ્ઞાનિક માન્યતા છે કે ગળ્યું ખાવાથી લોહી સંચાર વધે છે. ઊર્જા મળે છે. તે માટે ઘરેથી નીકળતાં સમયે થોડો ગોળ ચોકક્સ ખાવો જોઇએ.

No comments:

Post a Comment