‘તો તેમાં શું થઈ ગયું? છિદ્ર તો ઝીણું જ હતું ને?’ ગુરુએ કહ્યું. પરંતુ ગુરુજી એ તો બહુ જ ખરાબ કહેવા ને? ઝીણાં છિદ્ર તો દેખાય નહીં અને ખબર ન પડતાં તેમાં પાણી ભરાવા લાગે. ગુરુએ કહ્યું. ‘એક ઝીણું છિદ્ર માનવીને દગો દઈ શકે તો આપણા ઝીણા ઝીણા દોષો શું આપણને દગો ન દઈ શકે? વર્ષો સુધી શાંત જણાતો માણસ કોઈ ભયંકર દુષ્કૃત્ય કરી બેસે છે તેનું કારણ આ ઝીણા ઝીણા દોષોનું લશ્કર તેના મનમાં એકઠું થઈ તેને ડૂબાડે છે.’ માનવીનું મન એ કાંઈ રમતનું મેદાન નથી કે ગમે તે દોષને તેમાં દાખલ થવા દેવાય.
માનવી મન તો ઈશ્વર સંસ્કાર ઘડતરનું સાધન છે. તેને દોષથી દૂષિત કેમ કરાય? દોષ કદી નાનો મોટો હોતો જ નથી. દોષ એ દોષ જ છે. ખટાશનું એક ટીપું માત્ર, દૂધને ફાડી નાખે છે અને વિષનું બિંદુ માત્ર માનવીને મોતને ઘાટ ઉતારે છે. તેથી નગણ્ય દેખાતા ઝીણા ઝીણા દોષો માનવીને ડૂબાડે છે. તે માટે સાવધાન રહેવું જ જોઈએ. શિષ્ય ગુરુની ટકોર સમજી ગયો.
No comments:
Post a Comment