લાલ મરચાંનો ડોક્ટર સ્વાસ્થ્ય માટે સારા નથી ગણતા. લાલ મરચાંની જગ્યાએ તેઓ લીલા મરચાં ખાવાની સલાહ આપે છે.
જો તે બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં ડોક્ટરની આ સલાહને ખોટી સાબિત કરવામાં આવી છે. સંશોધકોએ દાવો કર્યો છે કે શરીરમાં રહેલી બિનજરૂરી કેલરી બાળવામાં લાલ મરચાં લાભદાયી છે.
પર્ડ્યૂ યુનિવર્સિટીના સંશોધક પ્રોફેસર રિચર્ડ મેટ્સનું કહેવું છે કે લાલ મરચાં ખાવાથી મેદસ્વિતા ઓછી થાય છે અને સાથે જ ભોજન કર્યા પછી વધારાની કેલરી બાળવામાં પણ મદદરૂપ થાય છે.
સાથે જ એ પણ જાણવા મળ્યું છે કે લાલ મરચામાં રહેલું કેપ્સાસિન તત્વ જે મરચાંને તીખા બનાવે છે તે ભૂખ ઓછી કરે છે અને કેલરીને બાળીને ઉર્જાનો વધારે ઉપયોગ કરે છે.
સંશોધકોનું કહેવું છે કે રોજ એક ગ્રામ અથવા અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ભોજનમાં ખાવું સ્વાસ્થ્ય માટે સારું છે.
No comments:
Post a Comment