Wednesday, 10 August 2011

જ્ઞાન મુદ્રાની મદદથી દૂર કરો તણાવ

યોગનો આ એક સરળ ઉપાય છે. દરરોજ પંદર મિનિટ આમ કરવાથી આપ સાત દિવસમાં લાભ મેળવશો.

yoga mudraઆજની દોડભાગ ભરેલી જિંદગીમાં આપણે આપણા શરીર માટે સમય જ નથી કાઢી શકતા. વ્યસ્તાવાળી દિનચર્યાને લીધે શરીરની સાથે-સાથે મગજ પર પણ અસર પડે છે જેના લીધે આપણે અનેક પ્રકારની બીમારીઓને જાણતા અજાણતા આમંત્રણ આપી દઇએ છીએ. જેમ કે અનિદ્રા, માથાનો દુખાવો, અનાવશ્યક ક્રોધ, વિદ્યાર્થીઓ પણ હરિફાઇના આ યુગમાં તણાવ સહન કરી રહ્યા છે. આનો કોઇ સરળ ઉપાય છે જેનાથી તણાવ પણ દૂર થાય અને સમય તેમજ ધન બંનેની બચત થાય?

જી હા, આનો ઉપાય છે. યાદશક્તિ વધારવા માટે, ભણવામાં ચિત્ત ચોંટાડવા માટે, માથાનો દુખાવો દૂર કરવા માટે, સારી ઊંઘ લેવા માટે, સ્વભાવ સરળ કરવો તેમજ ક્રોધ દૂર કરવો વગેરે માટે ઉપાય છે. જમીન પર આસન પાથરી આરામથી બેસીને બંને હાથ લંબાવી બંને ઘૂંટણો પર ટેકવી અંગુઠાને તર્જની આંગળી ઉપર જોડી દો. બાકીની ત્રણ આંગળીઓ સીધી રાખો. આને જ્ઞાન મુદ્રા કહે છે. યોગનો આ એક સરળ ઉપાય છે. દરરોજ પંદર મિનિટ આમ કરવાથી આપ સાત દિવસમાં લાભ મેળવશો.

No comments:

Post a Comment