Wednesday, 10 August 2011

આસન અનેક પ્રકારના હોય છે

 આસન કરવાથી શરીર નિરોગી રહે છે, જેનાથી તણાવ ઘટે છે. મનમાં શાંતિનો અનુભવ થાય છે.
અનેક પ્રકારે આસન કરવામાં આવે છે. યોગમાં આત્મસંયમ માટે સિદ્ધાસન, પદ્માસન અને સ્વસ્તિકાસન વધારે ફળદાયી છે. જે આસનમાં બેસવાથી આપણે સુવિધા અનુભવીએ તેને જ આપણા માટેનું ઉત્તમ આસન માનવું જોઇએ.

આસનમાં મસ્તક, ડોક અને પાંસળીના હાડકા સીધા હોવા જોઇએ. આપણી નજર નાક પર કે ભૃકુટી રહેવી જોઇએ. આસનમાં આંખો બંધ રાખીને બેસવું જોઇએ. આસન યોગની ક્રિયા આપણા સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. આસન કરવાથી શરીર નિરોગી રહે છે, જેનાથી તણાવ ઘટે છે. મનમાં શાંતિનો અનુભવ થાય છે.

No comments:

Post a Comment