આ રહ્યાં તે સાત વચનો જે નવ વર-વધુ એકબીજાને આપે છે
* નવ વધુ તેના પતિને વચન આપે છે ગૃહસ્થ જીવનમાં સુખ દુખની સ્થિતિઓ આવતી રહેશે,પરંતુ હું હંમેશા મારો સ્વભાવ મધુર રાખીશ.
*તમારી જાણ બહાર હું કોઈ પર પુરૂષને એકલામાં નહીં મળુ આ વચન વધુ વરને આપે છે
*તને જણાવ્યા વગર કોઈપણ પ્રકારનું નિર્માણ નિર્માણ,મહોત્સવનું આયોજન કે યાત્રા કરીશ નહીં. આ વચન બન્ને એકબીજાને આપે છે.
*વર તેની વધુને વચનો આપતાં કહે છે કે તારા વ્રત, દાન અને ધર્મ કાર્યોમાં રોક-ટોક કરીશ નહીં. મારી મહેનતથી જે કમાઇશ તે બધું જ તને સોંપીશ.
*વર વધુને વચન આપે છે કે દરેક જગ્યાએ તે વધુને તેની સાથે રાખશો, તે દેશ હોય વિદેશ હોય કે પછી નાનામાં નાની જગ્યા
*વર તેની નવ વધુને વચન આપે છે કે તારી સલાહ વગર કે તારી સંમતિ વગર કોઇપણ સંપત્તિનું ખરીદ-વેચાણ નહીં કરું. ઘરની દરેક કીંમતી વસ્તુઓ, ઘરેણાં, આભુષણો વગેરે તને સોપીંશ
*વધુ તેના વરને વચન આપે છે હું તમારી જાણ બહાર ક્યારેય મારા માતા-પિતાને ત્યાં કે પિયરમાં નહીં જાઉ
No comments:
Post a Comment