Tuesday, 6 September 2011

શરીરની દુર્ગંધ, હવે તમને વધુ પરેશાન નહીં કરે, આ ટીપ્સ અપનાવો


આપણા શરીર અર્થાત્ બાહ્ય વ્યક્તિત્વને નબળો બનાવવા કે ખરાબ પ્રભાવ પાડવામાં કેટલીક વાતોનું મુખ્ય સ્થાન હોય છે. પસીનાની દુર્ગંધ પણ એક એવી જ સમસ્યા છે જે તમારા તમામ ગુણો ઉપર પાણી ફેરવીને લોકોની નજરમાં તમારી ખોટી છાપ ઊભી કરે છે. જો તમે પણ તમારા પસીનાની દુર્ગંધથી પરેશાન છો તે નીચે આપેલ કેટલાક ખૂબ જ આસાન ઉપાયોને એકવાર ચોક્કસપણે અજમાવજો...

-પેટ દરેક પરિસ્થિતિમાં સાફ રાખો અર્થાત્ કબજિયાત કે બીજી પેટને લગતી સમસ્યાઓ પેદા ન થવા દો.

-લસણ, ડુંગળી જેવી તીવ્ર ગંધવાળી વસ્તુઓથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહો કે તેનું સેવન ન કરો.

-નિયમિત વ્યાયામ ચોક્કસ કરો. તેનાથી શરીરમાં બનનાર દૂષિત પાણી પહેલાંથી જ બહાર નિકળી જશે. ત્યારબાદ જ નહાઓ જેથી દિવસભર વધુ પસીનો નિકળવાની સંભાવનાઓ ન રહો.

-પાણી વધુને વધુ પીવો, આખા દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી એક તંદુરસ્ત વ્યક્તિએ ચોક્કસપણે પીવું જોઈએ.

-બગલના વાળ સાફ રાખો, શરીરની ત્વચાને વધુને વધુ સ્વચ્છ-સાફ રાખો, બની શકે તો નહાતી વખતે મુલતાની માટી કે તેનાથી બનેલ સાબુનો ઉપયોગ કરો.

-પોતાના શરીરની પ્રકૃત્તિ અને મોસમ પ્રમાણે કપડાં પહેરો, ભારતીય મૌસમ પ્રમાણે કોટનના કપડાં વધુ અનુકૂળ રહે છે. કપડાં એવા હોય જે તમારા શરીરને પ્રાકૃતિક વાયુ સાથે જોડી રાખે.

No comments:

Post a Comment