Thursday, 15 September 2011

બદલાતી સિઝનની આ શરદી- ખાંસીને ભગાડો આ ઘરગથ્થુ નુસખાથી


બદલાતી સિઝન સાથે શરદી- ખાંસીની સમસ્યા થવી એ સામાન્ય વાત છે. આ વાતાવરણમાં આવી સમસ્યા દર્શાવે છે તમારા શરીરની ઇમ્યુન સિસ્ટમ બરાબર ચાલી રહી છે.
જો તમે પણ બદલાતી સિઝનની આ શરદી-ખાંસીથી પરેશાન હોવ તો આ ઘરગથ્થુ નુસખા અપનાવો.

- શરદી –ખાંસી થવા પર ગરમ-ગરમ ચણાને સુંઘવાથી પણ દુર થઇ જાય છે.

- કાળી મરીની સાથે થોડા પતાશા ભેળવીને તે ગરમ-ગરમ પાણી પીવાથી શરદી દુર થાય છે.

- મધમાં આદુનો રસ મેળવીને સેવન કરવાથી ખાંસી દુર થઇ જાય છે.

- ખાંસી, શરદી અને સામાન્ય તાવમાં તુલસી અને આદુની ચા પીવાથી પણ લાભ થાય છે.

- શરદી થવા પર ગરમ દુધમાં ખજૂર ઉકાળીને તેમાં થોડી ઇલાયચી અને કેસર મેળવીને સેવન કરવાથી શરદીનાં રોગાણું નષ્ટ થાય છે.

-ગરમ દેશી ઘી માં કાળી મરીનું ચૂર્ણ મેળવીને રોટલી સાથે સેવન કરવાથી શરદી ઠીક થાય છે.

- ગોળ અને કાળી મરીનું ચૂર્ણ બનાવીને, ઉકાળીને ચાની જેમ પીવાથી શરદી દુર થાય છે.

- સરસિયાનાં તેલને નવશેકુ કરીને છાતી, પગનાં તળિયે અને નાકની ચારે બાજુ લગાડવાથી પણ શરદી દુર થાય છે.

- દોઢ ચમચી વરિયાળી પાણી સાથે ખાઇને ઉપર દુધ પીવાથી પણ શરદી ઓછી થવાની સંભાવના ઓછી રહે છે.

No comments:

Post a Comment