Thursday, 29 September 2011

મેદસ્વીતા ઘટાડો અને તાવ ભગાવો, આ ખાટો ઉપાય કરો

 
સામાન્ય રીતે લીંબુને ગર્મીનો રામબાણ ઉપાય કહેવામાં આવે છે. પરંતુ દરેક મોસમમાં લીંબુનો રસ ખૂબ જ અસરકારક હોય છે. તમને એ વાતની નવાઈ લાગશે કે લીંબુના જ્યૂસમાં શક્તિ આવે છે પણ તેનાથી મેદસ્વીતા-ચરબી નથી વધતી, એટલુ જ નહીં તેના યોગ્ય સેવનથી શરીરની વધારાની ચરબી ઓછી જરૂર થઈ જાય છે. સાથે જ તેના સેવનથી અન્ય અનેક રોગો દૂર થઈ જાય છે.

-લીંબુની છાલને કોણીઓ, ઢીંચણ અને નખ ઉપર ઘસો કાળી ત્વચા નહીં રહે.

-સાંધાઓના રોગીઓને જે સ્થાન ઉપર દર્દ રહેતું હોય ત્યાં લીંબુના રસનું માલિશ કરવાથી દર્દ સારું થઈ જાય છે.

-ચામડીના રોગમાં લીંબુ અત્યંત લાભકારી રહે છે. લીંબુ રસ, પાણીમાં નાંખી સ્નાન કરવાથી ખાસ, ખુજલી, દાદર વગેરે દૂર થઈ જાય છે.

-એક ચમચી મલાઈમાં લીંબુ નિચોવી ચહેરા ઉપર લગાવવાથી ખીલ-મસા દૂર થઈ જાય છે.

-તૈલી ત્વચાથી મુક્તિ મેળવવા માટે એક મોટી ચમચી બેસન, એક નાની ચમચી ગુલાબજળ અને એક ચપટી હળદરમાં અડધુ લીંબુ મેળવી તે લેપ ચહેરા ઉપર લગાવો બસ 20 મિનિટ રાખી ધોઈ નાંખો, તમને નિખાર જોવા મળશે.

-મલેરિયાના રોગીઓને કાળુ મીઠુ અને કાળી મરી પીસીને લીંબુમાં ભરીને ગરમ કરીને સૂચવા આપો. થોડીવારમાં જ તાલ ગાયબ થઈ જશે.

-એક લીંબુ, થોડુ મીઠુ અને 250 ગ્રામ પાણીમાં હલકુ ગરમ કરી સવારે ઊઠીને પીવો તો મેદસ્વીતા પણ ઘટી જશે.

-બ્લડ પ્રેશનના રોગીઓને દિવસમાં 2-3 વાર લીંબુનો રસ પાણીમાં મેળવીને પીવું જોઈએ. તેનાથી ઉચ્ચ રક્તચાપમાં રાહત મળે છે.

-વાળમાં રુસી-ખોડો હોય તો તેને દૂર કરવા અને વાળને ચમકાવવા માટે 1 લીંબુનો રસ વાળોમાં લગાવો અને દસ મિનિટ પછી ધોઈ નાંખો.

No comments:

Post a Comment