નવરાત્રિમાં ઘણાં લોકો આખો દિવસ ઉપવાસ કરે છે તો ખૈલયા રાત્રે ગરબાની રમજટ જમાવે છે. તેવામાં આ બધા જો ડાયેટનું ધ્યાન રાખવામાં ન આવે તો મુશ્કેલી થઈ શકે છે.
ડિહાઈડ્રેશન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચવા માટે આહારમાં વધુમાં વધુ લિક્વિડ પદાર્થોનો ઉપયોગ કરી શરીરનું તાપમાન બેલેન્સ કરી શકાય છે, ડાયેટિશિયન્સનું માનીએ તો આ સમયમાં સ્વાસ્થ્ય પ્રત્યે સહેજ પણ બેદરકારી રાખવી ન જોઈએ.
આ સમયમાં સંયમિત આહાર ખૂબ જ જરૂરી છે. આવી પરિસ્થિતિ આહારમાં લિક્વિડ પદાર્થોનું પ્રમાણ વધારીને શરીરને આવશ્યક પોષકતત્વ આપવાં જોઈએ. ક્વોન્ટિનેન્ટલ અને હળવા આહારનો પણ ડાયેટમાં સમાવેશ કરવો જોઈએ. નારિયેળ પાણી, જ્યૂસ અને ફ્રૂટ્સની સાથે સૂપનો પણ સમાવેશ કરવો જોઈએ. આ સાથે એ પણ ઘ્યાન રાખવું કે આહારમાં રોજ ફળોનો જરૂર સમાવેશ કરવો.
*મોસંબીનો સમાવેશ કરવો
નવરાત્રિના સમયમાં ગ્રેવી કે તળેલી ચીજવસ્તુઓ ન ખાવી. લીલાં શાકભાજી ખાવાં, તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. ક્વોન્ટિનેન્ટલ ડિશ વધુ ખાવી. આ સાથે મોસંબીનો ડાયેટમાં સમાવેશ કરવો. ગરમીમાં સૌથી મોટી સમસ્યા ડિહાઇડ્રેશનની હોય છે.
તેનાથી બચવા માટે કમસે કમ ૧૫ ગ્લાસ પાણી તો જરૂર પીવું. બ્રેકફાસ્ટ બાદ લંચ પૂર્વે ફ્રૂટ લઈ શકો છો. લંચ બાદ બપોરે ચાની સાથે કેટલાટ હળવા સ્નેક્સ પણ ખાઈ શકો છો. ચા ન લેતા હોવ તો નારિયેળ પાણી કે અન્ય ફ્રૂટ જ્યૂસ પણ પી શકો છો.
*દરેક પ્રકારના અનાજનો સમાવેશ કરવો
નવરાત્રિના દિવસોમાં દહીં તથા ફુદીનાનું લિક્વિડ બનાવીને સાથે રાખવું. તે પાચનશકિતને વધારવામાં મદદ કરે છે. ફ્રૂટમાં મોસંબી, દ્રાક્ષ, પાઈનેપલનું જ્યુસ ટામેટાં અને કાકડી વધુ લેવાં. તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. દરેક પ્રકારના અનાજનો પણ સમાવેશ કરવો જરૂરી છે. આ સાથે એ પણ ઘ્યાન રાખવું કે તમારો આહાર તાજો અને પૌષ્ટિક જ હોવો જોઈએ.
*આટલી બાબતો ઘ્યાનમાં રાખવી જરૂરી...
-ખાટી વસ્તુઓ સાથે દૂધ નહીં
લોકોમાં એવી માન્યતા હોય છે કે ઠંડું ખાવાથી કે પીવાથી ગળું ખરાબ થઈ જાય છે, જયારે એવું નથી હોતું. બસ એક વાતનું ઘ્યાન રાખવાનું હોય છે કે ખાટી વસ્તુઓ સાથે દૂધ ન લેવું. શરીરમાં લિક્વિડ પદાર્થ બાદ સૂપ પણ પી શકો છો.
ફુદીના અને દહીંનું ડ્રિન્ક બનાવીને પી શકાય છે. તેનાથી એસિડિટી નહીં થાય. ફ્રેશ ફ્રૂટની ટિક્કી પણ બનાવી શકો છો, જેમાં કાકડી, સફરજન મિલાવીને તેના પર પીગાળેલી ચોકલેટ લગાવીને ખાવાથી પેટ તો ભરાશે, તથા ફ્રૂટ હોવાની સાથે તે પૌષ્ટિક પણ રહેશે.
-થોડું થોડું કરીને ખાવું
ડાયેટિશિયન પ્રિયંકા ચૌહાણ કહે છે કે ખાવામાં તરલ પદાર્થોનો સમાવેશ કરવો, તેનાથી શરીરનું તાપમાન યોગ્ય પ્રમાણમાં રહે છે. પાણીની માત્રા શરીરમાંથી ઓછી થવા દેવી નહીં. બહાર જાવ તો થોડાં ફ્રૂટ્સ લઈ જવાં. ડાયેટિશિયન અપેક્ષા કહે છે કે જો ડાયાબિટીસ હોય તો મેંગો અને પાઇનેપલ જ્યૂસ ન લેવાં, પરંતુ અન્ય ફ્રૂટ જ્યૂસ લઈ શકો છો
No comments:
Post a Comment