Thursday, 29 September 2011

નિ:સંતાન પુરુષોને હૃદયરોગનું જોખમ


 
સંતાન ન હોય તેવા પુરુષોમાં હૃદયરોગથી મૃત્યુનું પ્રમાણ વધુ

આમ તો કુપાત્ર સંતાનને કારણે આઘાત લાગે અને પિતાને એટેક આવે તેવા કિસ્સા સમાજમાં અને ફિલ્મોમાં સૌએ જોયા છે, પરંતુ એક નવા સંશોધનથી એવું તારણ નીકળ્યું છે કે જે પરિણીત પુરુષો નિ:સંતાન હોય તેમને હૃદયને લગતી તકલીફો થવાની સંભાવના સંતાન ધરાવતા પુરુષો કરતાં વધુ હોય છે. કેલિફોર્નિયાયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના વિજ્ઞાનીઓએ આ તારણ ઉપર આવતા પહેલાં ૫૦ વર્ષ કરતાં વધુ ઉંમરના પરિણીત અથવા અગાઉ પરિણીત હોય તેવા ૧,૩૫,૦૦૦ પુરુષોના દસ વર્ષના આરોગ્યનો ચાર્ટ તપાસ્યો હતો.

આ સંશોધનમાં તેમના ધ્યાનમાં આવ્યું કે જે લોકો પિતા બન્યા હોય તેમની સરખામણીમાં નિ:સંતાન પુરુષો હૃદયની તકલીફનો શિકાર બનતા હોય તેવી સંખ્યા ૧૭ ટકા વધુ હતી. નિ:સંતાન રહેવું એ શુક્રાણુઓની ખામીનો સંકેત હોઈ શકે તેમ આ અભ્યાસના તારણમાં જણાવવામાં આવ્યું છે. સંશોધકોએ જેટલા પુરુષો પર આ અભ્યાસ કર્યો તે દરેક શરૂઆતના તબક્કે સંપૂર્ણ તંદુરસ્ત હતા અને તેમને હૃદય, લકવા કે તેને લગતી કોઈ બીમારીનાં લક્ષણો નહોતાં. આ અભ્યાસ દરમિયાન ૧૦ ટકા પુરુષો મૃત્યુ પામ્યા. મૃત્યુ પામનાર આ પૈકી મોટાભાગના સંતાન વિનાના પુરુષો હતા, પરંતુ તેમાં ધ્યાન ખેંચે એવી બાબત એ હતી કે મોટાભાગના હૃદયરોગથી મૃત્યુ પામ્યા હતા.

જોકે આ અંગે પ્રતિભાવ આપતાં બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનનાં સિનિયર નર્સ નતાશા સ્ટુવટેં કહ્યું કે, આ તારણોના આધારે કેટલાક પિતાઓ એવું માની લેશે કે તેમના પર હૃદયરોગનું કોઈ જોખમ નથી, પરંતુ એવું આખરી તારણ કાઢી શકાય નહીં. આ તો એક તરફી સંશોધન છે અને હૃદયરોગને લાગેવળગે છે ત્યાં સુધી બીજાં ઘણાં પરબિળો ભાગ ભજવતા હોય છે.

૧૭ ટકા વધુ જોખમ

કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના વિજ્ઞાનીઓએ આ તારણ ઉપર આવતાં પહેલાં ૫૦ વર્ષ કરતાં વધુ ઉંમરના પરિણીત અથવા અગાઉ પરિણીત હોય તેવા ૧,૩૫,૦૦૦ પુરુષોના દસ વર્ષના આરોગ્યનો ચાર્ટ તપાસ્યો હતો. આ સંશોધનમાં તેમના ધ્યાનમાં આવ્યું કે જે લોકો પિતા બન્યા હોય તેમની સરખામણીમાં નિ:સંતાન પુરુષો હૃદયની તકલીફનો શિકાર બનતા હોય તેવી સંખ્યા ૧૭ ટકા વધુ હતી.

No comments:

Post a Comment